બિદઅતી ઈમામની ઈમામત.

Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ

(Page : 156)

સવાલ(૧૪પ–રપ) મતભેદની બિના પર મસ્જિદમાં પ થી ૬ માણસો અલગ જમાઅત કરી નમાઝ પઢે છે. તેઓ કહે છે કે ઈમામ સાહબના અકાઈદ હક નથી, સારા નથી, તો શું મતભેદના કારણે અલગ જમાઅત કરી શકે? શું મુતવલ્લી તે ઈમામસાહેબને રજા આપી શકે છે?  કયા પ્રકારના ઈમામ પ્રત્યેના વાંધાથી  યા મતભેદથી અલગ જમાઅત કરી શકે?

જવાબ(૧૪પ–રપ) ખરેખર બિદઅતી ઈમામ (જેના અકાઈદ એહલે સુન્‍નત વલ જમાઅત વિરૂધ્ધ હોય) પાછળ નમાઝ મકરૂહે તહરીમી છે જો તેના અકાઈદ કુફ્રની હદે પહોંચી ગયા હોય તો નમાઝ દુરૂસ્ત થશે જ નહીં, જેથી મુતવલ્લી તથા ટ્રસ્ટીઓની ફરજ છે કે એવા બિદઅતીને ઈમામ બનાવે નહિં, જો અંજાણમાં બનાવી દીધા હોય તો જાણ્યા બાદ વહેલી તકે બરતરફ (પદ ભ્રષ્ટ) કરવા જોઈએ, કારણકે ઈમામતનો મનસબ ઈઝઝતનો છે બિદઅતી તા’ઝીમને લાયક નથી બલ્કે અપમાનપાત્ર છે જો મુતવલ્લી એવા બિદઅતી ઈમામની હિમાયત કરશે અને ઈમામતથી છુટા કરશે નહિં તો બધો વબાલ મુતવલ્લીના સીરે પડશે, મુકતદીઓ (નમાઝીઓ) નજીકની મસ્જિદમાં નમાઝ પઢવા ચાલ્યા જાય, તે જ મસ્જિદમાં બીજી જમાઅત કરે નહિં, મજબૂરમાં બિદઅતી પાછળ નમાઝ મકરૂહ નથી. ફકત અલ્લાહ વધુ જાણનાર છે.(મરાકિયુલ ફલાહઃપેજઃ૭૦   શામીઃર/ર૯૮)

Log in or Register to save this content for later.