Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ
(Page : 156)
સવાલ(૧૪૪–ર૪) અમારે ત્યાં એક ઈમામ સા.માહે રજજબમાં,ઈમામ જાફરના જે કુંડા ભરાય છે,(ખીરપુરી)તે ખાવા ગયા હતા,તો એવા ઈમામ પાછળ નમાઝ જાઈઝ છે કે કેમ ?
જવાબ(૧૪૪–ર૪) પેશઈમામ કુંડાની ખીરપુરી ખાવા ગયા એ ખોટું કર્યુ, એવી બિદઅતોથી પરહેઝ કરવો જોઈએ,નહિંતર તેમની પાછળ નમાઝ મકરૂહ થશે,સાચા દિલથી તૌબા કરવી જોઈએ. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.(શામીઃ ર/ર૯૯. અઝીઝુલ ફતાવાઃ ૧/૧૯ર. શર્હે વિકાયાઃ ૧/૧પર)
Log in or Register to save this content for later.