મગરિબની નમાઝનો સમય.

Chapter : અઝાન અને નમાઝનો વખત

(Page : 149)

સવાલ(૧ર૯–૯) અમારી કંપનીનો ડયુટી–ટાઈમ સાંજે પાંચ વાગે પુરો થાય છે,મગરિબ પ–૧પ કે પ–૧૦ ના થાય છે; બસ,પાંચમાં પાંચ કમે ઉપડી જાય છે, હવે મગરિબની નમાઝ અમારા કેમ્પમાં પહોંચી પઢીએ તો ઘણું જ અંધારૂ થઈ જાય છે,અને દિવસ બિલકુલ ખતમ થઈ જાય છે,હવે બસમાં નમાઝ પઢવામાં આવે તો રસ્તો ઘણો જ વાંકો ચુંકો છે,બસ થોડીવાર એક દિશામાં તો થોડીવારમાં બીજી દિશામાં ફરી જાય છે. અને કિબ્લો બદલાતો રહે છે,તો બસમાં નમાઝ પઢવી કે કેમ ? જો કેમ્પમાં આવી નમાઝ પઢીએ તો કઝા થઈ જાય છે,તો એ સુરતમાં શું કરવું ? જો કામની જગ્યાએ મગરિબ પઢીએ તો કંપનીની બસ ચાલી જાય છે,અને રસ્તો ૪૦ મિનિટનો છે.

જવાબ(૧ર૯–૯) મગરિબની નમાઝનો ટાઈમ હઝરત ઈમામ અબૂહનીફા (રહ.) ના કથન મુજબ લાંબો (એટલે સુર્યાસ્ત પછી લાલી પછી સફેદી અસ્ત થતાં સુધી) રહે છે, જો કેમ્પ પહોંચીને મગરિબ અદા કરી શકતા હોય તો બેહતર એજ છે કે કેમ્પમાં ઈત્મિનાનથી નમાઝ પઢો,નહિંતર બસમાં પઢી લેવામાં આવે,જેમ કિબ્લો ફરે તેમ ફરીને પઢે,ભુલચુક અલ્લાહ માફ કરશે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.  (ઈમદાદુલ ફતાવાઃ ૧/૯૯ તથા ૧૦૦)

Log in or Register to save this content for later.