સુબ્હે સાદિક પછી નફિલ પઢવી.

Chapter : મકરૂહ વખતો

(Page : 147)

સવાલ(૧ર૧–૧) ફજર અને અસરની નમાઝોનાં વખતોમાં નફિલ નમાઝ મકરૂહ છે, તો ફજર અને અસરની નમાઝોના ફર્ઝ પઢતા પહેલાં પણ મકરૂહ છે કે નહિં ?

જવાબ(૧ર૧–૧) સુબ્હે સાદિકથી સુર્યોદય સુધી ફજરની સુન્‍નત સિવાય નફિલ નમાઝ પઢવી મના–નાજાઈઝ છે. અને અસરના ફર્ઝ બાદ સુર્યાસ્ત સુધી મકરૂહ છે. અસરના ફર્ઝ અગાઉ મકરૂહ નથી,જેટલી નફિલ પઢવા ચાહો પઢી શકો છો,ભલેને અસરનો ટાઈમ થઈ ગયો હોય ! એટલા જ (અર્થાત નફિલ પઢવા) માટે અસરની તાખીર–વિલંબ મુસ્તહબ છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ ર/૩૭ તથા ૩૮. હિદાયાઃ ૧/૮પ તથા ૮૬)

Log in or Register to save this content for later.