Chapter : પાકી નાપાકીના પરચુરણ મસ્અલા
(Page : 145)
સવાલ(૧૧૮–પ૦) હમારા ગામમાં એવી મનઘડત માન્યતા છે,કે મય્યતને તથા નિફાસવાળી સ્ત્રીને પેશઈમામ ગુસલનું પાણી પઢી આપે તો જ ગુસલ ઉતરે,તો એ બાબતનો ખુલાસાવાર જવાબ આપશો ?
જવાબ(૧૧૮–પ૦) ઉકત માન્યતા પાયા વિનાની મનઘડત છે,લોકો પાસેથી પૈસા લેવા એવી વાત ઘડી કાઢેલ છે.
ફાયદોઃ–(પાક પાણીથી ગુસલના ત્રણેવ ફર્ઝની અદાયગી સાથે ગુસલ કરશે તો પાક થઈ જશે.) ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.(શામીઃ ૧/ર૮૪. ફતાવા દારૂલ ઉલૂમઃ ૧/૧પર)
Log in or Register to save this content for later.