[રપ] સતર ખુલવાથી વુઝૂ નહિં તૂટે

Chapter : તહારત

(Page : 63)

સવાલ :– શરીરનો કેટલો ભાગ ખુલવાથી વુઝૂ તૂટી જાય છે. હમારા મોલ્વી સાહેબ કહે છે કે નમાઝમાં અને નમાઝની બહાર ગુંઠણ ખુલ્લા થવાથી વુઝૂ તૂટી જાય છે અને નમાઝ પણ થતી નથી.

જવાબ :– શરીરનો કોઈપણ ભાગ ખુલી જવાથી વુઝૂ તૂટતું નથી, જો કે વગર જરૂરતે સતરનો ભાગ ખોલવો નાજાઈઝ છે, પરંતુ ખોલવાથી વુઝૂ નહિં તૂટે, ચાહે નમાઝમાં ખુલે કે નમાઝની બહાર ખૂલે. અલબત્ત ગુંઠણ સતરમાંથી છે અને સતરના અવયવોમાંથી કોઈપણ અવયવ ચોથાઈ ભાગ બરાબર ખુલી જાય અને ત્રણ વાર સુબ્હાનલ્લાહ પઢવાના પ્રમાણમાં ખુલ્લો રહે તો નમાઝ તૂટી જાય છે પણ વુઝૂ નહિં તૂટે. (શામી ભા. ૧/ર૭૩)

Log in or Register to save this content for later.