પેશાબ કર્યા પછી વિર્ય નીકળે તો ?

Chapter : ગુસ્લ

(Page : 134)

સવાલ(૯૩–રપ) કયારેક ઈન્દ્રીમાં જોશ ઉત્પન્‍ન થાય છે,અને સ્વપ્નદોષ થાય ન થાય તે પહેલાં જ પેશાબ કરવા જતાં લુંગી તો સાફ જણાય છે,પરંતુ પેશાબ કર્યા પછી વિર્ય જેવાં ટીપાં પડે છે,ત્યારે શું ગુસલ વાજિબ થશે કે કેમ ?

જવાબ(૯૩–રપ) ગુસલ ફર્ઝ થશે નહિં,પેશાબ પછી જે ચિકણો પદાર્થ નીકળે છે, એને વદી કહે છે.ગુસલ,વિર્યથી વાજિબ થાય છે,જેમકે હદીષ શરીફમાં છે, ”ઈન્‍નમલ માઉ મિનલ માઈ” અર્થાત ગુસલ તો વિર્યથી જ વાજિબ થાય છે.(વદી કે મજી થી નહિં.).ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (હિદાયાઃ૧/૩૩. શામીઃ૧/ર૯૬ તથા ૧/૩૦૪)

Log in or Register to save this content for later.