Chapter : ગુસ્લ
(Page : 134)
સવાલ(૯૧–ર૩) સ્ત્રીઓને જોવાથી વિર્ય નીકળી જાય છે,તો શું તેનાથી ગુસલ વાજિબ થાય છે ? અથવા રોઝામાં ખરાબી થશે ? જો જાણી જોઈને સ્ત્રીને દબાવે અને વિર્ય નીકળી જાય તેા ?
જવાબ(૯૧–ર૩) સ્ત્રીઓ તરફ ખરાબ નઝરે જોવાથી જો વિર્ય નીકળી જાય તો ગુસલ ફર્ઝ થશે,જેમકે હદીષ શરીફમાં છે,” અલ માઉ મિનલ માઈ” અર્થાત ગુસલ ફર્ઝ છે વિર્ય નીકળવાથી,પરંતુ રોઝો તુટશે નહિં.
જો જાણી જોઈને ઓરતને દબાવવાથી વિર્ય નીકળી જાય તો રોઝો તુટી જશે, કઝા વાજિબ છે,કફફારો નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ૧/ર૯૬ તથા ૩/૩૬૭. હિદાયાઃ૧/૩૧ તથા ૧/ર૧૭)
Log in or Register to save this content for later.