મની થી ગુસલ વાજિબ થશે.

Chapter : ગુસ્લ

(Page : 133)

સવાલ(૮૯–ર૧) કેટલીક વાર ઈન્દ્રીમાંથી ચિકણો પદાર્થ નીકળે છે,અને તેમાં કાંઈ જાતનો રંગ હોતો નથી,માત્ર ચિકણો પદાર્થ હોય છે,તો શું તેનાથી ગુસલ વાજિબ થશે ? મજી,વદી અને મની કેવી રીતે ઓળખી શકાય છે ?

જવાબ(૮૯–ર૧) ગુસલ મની નીકળવાથી વાજિબ છે,મજી અને વદીમાં ગુસલ નથી તેનાથી વુઝૂ તુટી જશે,મજી ચિકણાં પ્રદાર્થને કહે છે,જે પત્નિ સાથે મસ્તી કરવાના સમયે નીકળે છે,એનાથી ઈન્દ્રી ઢીલી પડતી નથી,અને મની નીકળવાથી ઢીલી પડી જાય છે.બીજો તફાવત એ છે કે મજી માં રંગ કે ગંધ હોતી નથી,અને મની સફેદ અને ગંધવાળી હોય છે,અને પેશાબ કર્યા પછી જે ચીકણો પ્રદાર્થ નીકળે છે તેને વદી કહે છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (હિદાયાઃ ૧/૩૧ તથા ૧/૩૩. શામીઃ ૧/૩૦૪)

Log in or Register to save this content for later.