Chapter : અકાઈદ અને ઈલ્મ
(Page : 122)
સવાલ(૬૬–૬૬) એક માણસ મુસલમાનને ત્યાં પૈદા થયો છે તે કલેમહ પઢે છે નમાઝ, રોઝા જે કંઈ ફર્ઝ છે તે અદા કરે છે છતાં તેને એક માણસ કહે છે કે, તું મુસલમાન નથી કારણ કે તે જુઠું બોલે છે,આ બાબતથી ઉશ્કેરાઈ પેલા માણસે નમાઝ છોડી દીધી તો હવે ગુનેહગાર કોણ થશે ? પહેલા માણસનું કહેવું કે, તું મુસલમાન નથી એ બરાબર છે ?
જવાબ(૬૬–૬૬) એહલે સુન્નત વલ જમાઅતના ઉલમાનો ઈજમાઅ (સર્વસંમતિ) છે કે,જુઠ,ચોરી,ઝિના જેવા કબિરા (મોટા) ગુનાહ કરવાથી ઈસ્લામથી ખારિજ થશે નહિં,બલ્કે તે મુસલમાન જ રહેશે. કાફિર માફક તે હંમેશ માટે દોઝખી બનશે નહિં,એના ઈમાનના પ્રતાપે જન્નતમાં દાખિલ કરવામાં આવશે, ઈન્શાઅલ્લાહ..
પેલા ભાઈનું એવું કહેવું કે,તું મુસલમાન નથી એનો ભાવાર્થ એ છે કે સંપૂર્ણ પણે (અગર સાચો) મુસલમાન નથી. કામિલ મુસલમાન કદીયે જુઠુ બોલે નહિં, જુઠું બોલનારનું ઈમાન ભયમાં છે. અસત્ય અને ઈમાન ભેગા થઈ શકે નહિં. (મિશકાત શરીફઃ ૧૭)
તું મુસલમાન નથી એમ કહેવાથી નમાઝ છોડી દેવી નરી મૂર્ખાઈ છે– અજ્ઞાનતા છે,એનો ગુનાહ નમાઝ ત્યજી દેનારના જ સિરે રહેશે,તૌબહ કરી ફરીથી નમાઝ શુરૂ કરી લે,નહિં તો સખ્ત અઝાબને પાત્ર ગણાશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શર્હે અકાઈદઃ ૧૦૬ તથા ૧૦૭)
Log in or Register to save this content for later.