Chapter : અકાઈદ અને ઈલ્મ
(Page : 116)
સવાલ(પ૪–પ૪) બરેલવીઓ રસૂલે અકરમ (સ.અ.વ.)ને આલિમુલ ગૈબ કહે છે,તેમના વિષે આપણે શું ઈમાન રાખવું જોઈએ ?અને એમના ઈલ્મેગૈબ વિષે આપણે શું અકીદો રાખવો જાઈએ ?
જવાબ(પ૪–પ૪) રસુલે અકરમ (સ.અ.વ.) અલ્લાહ તઆલાના બંદા અને રસુલ હતા,ખુદાપાક પછી સૌથી અફઝલ અને સર્વે નબીયોના પણ ઈમામ અને પેશવા હતા,ઈલ્મમાં પણ આપની સરખામણીમાં કોઈ નહીં,સૌથી વધુ ઈલ્મવાળા હતા,પરંતુ આલિમુલ ગૈબ (ગૈબ જાણવાનો જાતી ગુણ ધરાવનાર) ન હતા,એ ખાસ ખુદાપાકની સિફત–ગુણ છે,જેમકે કુર્આન શરીફમાં છે ” લા યઅલમુલ ગૈબ ઈલ્લા હૂ” અર્થાત ખુદાપાક સિવાય કોઈ ગૈબ જાણતુ નથી,અલ્લાહ તઆલાએ ઘણી ખરી ગૈબની વાતો, વહી દ્વારા જણાવી હતી,બરેલવીઓ આપ (સ.અ.વ.) ને આલિમુલ ગૈબ માને છે,તે શિર્ક ફિસ્સિફત છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શર્હે અકાઈદઃ ૧૭૦)
Log in or Register to save this content for later.