પેશાબના કારણે કબરનો અઝાબ.

Chapter : અકાઈદ અને ઈલ્મ

(Page : 115)

સવાલ(પર–પર) કબરમાં પેશાબના છાંટાની સંભાળ ન રાખવાનો કિસ્સો અને તેના કારણે થયેલ અઝાબનો કિસ્સો સહીહ હદીષ મુજબ જણાવશો .

જવાબ(પર–પર) હઝરત અનસ (રદિ.) બયાન ફરમાવે છે કે (એક દિવસે) હુઝૂર (સ.અ.વ.) બે કબરો પાસેથી પસાર થવા લાગ્યા ત્યારે (અચાનક ઉભા થઈને) ફરમાવ્યું કે આ બે કબરવાળાઓને અઝાબ થઈ રહયો છે અને અઝાબ કોઈ મહાન ગુનાહના કારણે આપવામાં આવી રહયો નથી (કે જેનાથી આ દુનિયામાં પોતાને બચાવવું અશકય હોય) બલ્કે એ બન્‍નેમાંથી એક તો તે છે જે પેશાબ કરતી વખતે પર્દો ન કરતા હતા,અને મુસ્લિમ શરીફની રિવાયતમાં છે કે તે પેશાબથી બચતા ન હતા,અને બીજો માણસ ચાળી ખાતો હતો પછી આપ (સ.અ.વ.) એ ખજૂરની એક ડાળી લઈ તેને છેડી બે ભાગ કરી એક એક ટુકડો બન્‍નેવ કબરો ઉપર ખોસી દીધી,એ જોઈ સહાબા (રદિ.) એ અર્જ કરીકે આપે એમ કેમ કર્યુ ? આપ (સ.અ.વ.) એ જવાબ આપ્યો કે ઉમ્મીદ છે કે જયાં સુધી આ ડાળી લીલી રહેશે ત્યાં સુધી અઝાબ હલકો રહેશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.(મિશકાતઃ ૪ર.  મઝાહિરે હકઃ ૧/૩૪૯)

Log in or Register to save this content for later.