Chapter : અકાઈદ અને ઈલ્મ
(Page : 114)
સવાલ(પ૧–પ૧) જે માણસ દાઉદ (અલ.)વિષે એ અકીદો રાખે છે કે એમનું ઈમ્તિહાન અસલમાં એ વાતમાં હતું કે એમણે એક દિવસ ઈબાદત માટે ખાસ કર્યો હતો કે તે દિવસે મખ્લૂકથી બેતઅલ્લુક થઈ જતા હતા,એક સૂફીની આવી ગોશા નશીની અને લોકોથી તઅલ્લુક છોડી દેવો તે તો પસંદીદા (ઈચ્છનીય) લેખાય, પરંતુ એક ખલીફએ વકત અને મુસલમાનોના સિયાસી (રાજકિય) અમીર માટે આ ગૌશાનશીની તે પણ પૂરો એક દિવસ કોઈ રીતે બરાબર નથી,તો એવો અકીદો રાખનાર બાબત શું હુકમ છે ?
જવાબ(પ૧–પ૧)મજકૂર માણસ બિદઅતી (એહલે સુન્નત વલ જમાઅતના વિરૂધ્ધ) કહેવાશે,કાફિર નહિં,અને દરેક બિદઅત ગુમરાહી છે, અને દરેક ગુમરાહી જહન્નમમાં લઈ જનાર છે,(અલ્લાહની પનાહ)તોબા કરવી જોઈએ,નહિંતર ઈમાન નો ખતરો છે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.(શર્હે અકાઈદઃ ૧૩૯)
Log in or Register to save this content for later.