હુઝૂર (સલ.) ને ખ્વાબમાં જોનાર.

Chapter : અકાઈદ અને ઈલ્મ

(Page : 113)

સવાલ(૪૮–૪૮) જો કોઈ માણસે હુઝુર (સલ.)ને ખ્વાબમાં જોયા હોય તો તે માણસનો મરતબો કેટલો કહેવાય? અને તે માણસનો શુમાર સહાબામાં થાય કે નહિ ?

જવાબ(૪૮–૪૮) રસૂલુલ્લાહ (સલ.)ને સ્વપ્નમાં જોવું ખરેખર સાચું સ્વપ્નું છે,શૈતાન આપ (સલ.)ની શકલમાં દેખાય શકતો નથી,પરંતુ તે સહાબી લેખાશે નહિં, શરીઅતની પરિભાષામાં સહાબી તેને કહેવાય જેણે ઈસ્લામની હાલતમાં,જાગતાં રસૂલુલ્લાહ (સલ.)નો દીદાર કર્યો હોય,અને ઈમાનની હાલતમાં મરણ પામ્યો હોય,અલબત્ત ખ્વાબી સહાબી કહેવામાં વાંધો નથી,નેક દીનદાર હોવાની નિશાની છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.(મિશકાત શરીફઃ પેજ–૩૯૪)

Log in or Register to save this content for later.