Chapter : અકાઈદ અને ઈલ્મ
(Page : 111)
સવાલ(૪૪–૪૪) (અ) શૈતાનથી બચવા માટે હર વખતે અને દરરોજ કોઈ આયત અથવા દુઆનો વિર્દ કરતા રહેવું જોઈએ જેથી શૈતાનથી બચી શકાય તે લખી જણાવશો ?
(બ) કુર્આન શરીફ અથવા કોઈ દુઆ યાદ ના રહેતી હોય તો કઈ આયતનો વિર્દ અથવા વઝીફા તરીકે પઢવાથી યાદશકિત તેઝ થાય અને દુઆઓ જલ્દી યાદ થાય છે ?
(ક) કઈ આયત અથવા તો દુઆનો વિર્દ અથવા તો વઝીફો પઢવાથી દિલમાં અલ્લાહનો ડર અને અલ્લાહની નઝદીકી હાસલ થાય ?
જવાબ(૪૪–૪૪) (અ) શૈતાનથી બચવા માટે ” લા હવ્લ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહિલ અલિય્યિલ અઝીમ ” વધુ પ્રમાણમાં પઢયા કરશો.
(બ) યાદશકિત માટે દરેક ફર્ઝ નમાઝ પછી જમણો હાથ માથા અને કપાળ વચ્ચે રાખી,૧૧ વાર ” યા કવિય્યો” પઢયા કરશો,અને ફર્ઝ નમાઝ વખતે તમો છેલ્લા કાયદામાં બેસો છો,ત્યારે તમે સર્વ દુઆ પઢી જો વખત મળે તો ” સનુકરિઉક ફલા તન્સા ” એક અથવા ત્રણ વાર પઢી લેશો,અને તમે એકલા સુન્નત,નફલ પઢો તો છેલ્લા કાયદામાં આસાનીથી એક અથવા ત્રણ વાર પઢી શકો છો.
(ક) પુરેપુરી ઝકાત અદા કરવી જોઈએ,અને પાબંદીથી પાંચે વખતની નમાઝ પઢો, અને વધુ પ્રમાણમાં આ દુઆ પઢશો.” ફલ્લાહુ ખયરૂ હાફિઝંવ્વહુવ અર્હમુર્રાહિમીન ” . ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
Log in or Register to save this content for later.