Chapter : અકાઇદ અને ઇલ્મ
(Page : 106)
સવાલ(૩૩–૩૩) તબ્લીગી જમાત બાબત જે ઝઘડાઓ છે કે અરસપરસ મુસલમાન ભાઈઓ લડે છે,તો શું આ તબ્લીગ જરૂરી છે ? અથવા મુસ્તહબ ? કુર્આન શરીફ અને કિતાબનો હવાલો આ બાબત આપશો.
જવાબ(૩૩–૩૩) તબ્લીગની ચળવળ,જેના સ્થાપક મૌલાના ઈલ્યાસ (રહ.)છે, ઈસ્લાહ માટે લાભકારક છે,ખાસ કરી પબ્લીક માટે તેના ફાયદાઓ જાહેર છે, બંદાઓનો અલ્લાહ સાથે જોડ થયો,આ ફિત્નાના ઝમાનામાં ઈસ્લામ પર કાયમ રહેવું મુશકેલ હતુ, તબ્લીગના કામની બરકતથી દીન અને ઈમાન તાજું થયું,બરેલવી જમાઅત દુશમનીના લઈ એનો વિરોધ કરે છે, કે દેવબંદીયોનું કામ છે,અને લાકોને નફરત અપાવે છે,જો કે તબ્લીગી જમાઅત વાળા આવી ઈખ્તિલાફી (મતભેદવાળી) વાતોને છેડતા જ નથી, ખાલિસ દીન અને ઈમાનની વાતો કરે છે,દીન શીખવા અને તેના ઉપર અમલ કરવા તેઓ નીકળે છે,બીજી કોઈ ગરજ નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
Log in or Register to save this content for later.