[રર] નમાઝમાં આંખમાંથી પાણી ટપકે

Chapter : તહારત

(Page : 61)

સવાલ :– એક વ્યક્તિની આંખો આવેલી છે અને નમાઝની હાલતમાં તેની આંખોમાંથી પાણી ટપકે છે, તો તેની નમાઝમાં કોઈ ખલલ થશે કે નહિ ?

જવાબ :– દુખતી આંખમાંથી જે પાણી નીકળે છે, જો તે પાણીમાં કોઈ બગાડ જેમ કે લાલ રંગ માલૂમ પડે અથવા બીજો કોઈ બગાડ દેખાય તો તે પાણી નાપાક છે. જો એવું નાપાક પાણી નમાઝની હાલતમાં આંખમાંથી વહેશે તો વુઝૂ તૂટી જશે. પણ જો તે નમાઝી શરૂ કરેલી નમાઝને પુરી કરવા ચાહે તો વાત કર્યા વગર તુરત વુઝૂ કરી તે નમાઝ પૂરી કરી શકે છે અને વુઝૂ કર્યા પછી તે નમાઝ નવેસરથી પઢવા ચાહે તો પણ પઢી શકે છે–જો આવું બગાડવાળું નાપાક પાણી ટપક્યા જ કરતું હોય અને તે વ્યક્તિ શરઈ દ્રષ્ટિએ મઅ્‌ઝૂર બની જતો હોય તો દરેક ફર્ઝ અદા નમાઝ માટે વુઝૂ કરી લે અને ફર્ઝ નમાઝનો વખત પૂરો થતાં સુધી તે વુઝૂથી બીજી જેટલી નમાઝો પઢવા ચાહે તે પઢી શકે છે, ચાહે આંખોમાંથી નાપાક પાણી ટપકતું રહે અને જો દુખતી આંખોના પાણીમાં કોઈ બગાડ ન દેખાય તો તે પાણી પાક છે, નમાઝની હાલતમાં તેના ટપકવાથી વુઝૂ નહિં તૂટે અને નમાઝમાં કોઈ નુકસાન નહિં આવે.

(દૂર્રે મુખ્તાર, શામી, ભા. ૧/૧૦૦–ર૦૩–૪૦૬)

Log in or Register to save this content for later.