મર્હૂમોને ઈસાલે સવાબ કરવા વિષે.

Chapter : અકાઇદ અને ઇલ્મ

(Page : 94)

સવાલ(૧૩–૧૩)ઃ–          એક માણસ તેના મર્હૂમ માટે સવાબનું કામ કરે છે, દાખલા તરીકે પઢીને બક્ષે,અથવા એના સવાબ માટે લિલ્લાહ ખૈરાત કરે,તો શું જે માણસનું નામ લઈ એકને જ બક્ષે તેનો સવાબ વધારે મળે છે ? અથવા તમામ સગાના નામ લઈ બક્ષે તો સવાબમાં વધારો ઘટાડો થાય યા નહીં ? અથવા એકને જ બક્ષે તો પણ તેટલો જ સવાબ મળે એવું ખરૂ ?

જવાબ(૧૩–૧૩)ઃ–          એમાં મતફેર છે,ઘણા આલિમો કહે છે કે અનેકને સવાબ પહોંચાડવાથી દરેકને પુરેપુરો સવાબ મળે નહી,બલ્કે વહેંચાયને મળશે, અને અમુક આલિમો કહે છે કે અલ્લાહ તઆલાના ફઝલથી આશા છે કે દરેકને સવાબ પુરો મળશે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.

(ફતાવા દારૂલ ઉલૂમઃપ/૪૧૯) (શામી : ૩/૧પ૧)

Log in or Register to save this content for later.