Chapter : અકાઇદ અને ઇલ્મ
(Page : 93-94)
સવાલ(૧ર–૧ર)ઃ– સલમાન ફારસી (રદિ.)કેટલી ઉમરે ઈમાન લાવ્યા ? તેમના મરણ વખતે તેમની કેટલી ઉમર હતી ?
જવાબ(૧ર–૧ર)ઃ– હઝરત નબીયે કરીમ (સ.અ.વ.) જયારે હિજરત કરીને મદીનહ શરીફ આવ્યા ત્યારે હઝરત સલમાન ફારસી (રદિ.) મુસલમાન થયા, રસૂલે પાક (સ.અ.વ.) ને હઝરત સલમાન (રદિ.) સાથે ઘણી મહોબ્બત અને સંબંધ થઈ ગયો હતો,તેમના વિષે અલ્લાહના રસૂલ (સ.અ.વ.) ફરમાવે છે, કે સલમાન હમારા ઘરવાળાઓમાંથી છે,એક રિવાયતના મુજબ તેમની ઉમર અઢીસો વરસની,અને બીજી રિવાયતના મુતાબિક સાડા ત્રણસો વરસની હતી, પરંતુ વધુ ખરૂ અને મજબૂત કથન અઢીસો વરસનું છે,પોતાના હાથે મેહનત કરીને ખાતા હતા,અને સદકા ખૈરાત કરતા હતા,હઝરત (સલ.) તેમનાથી ઘણા જ રાઝી હતા,અને વખાણ કરે છે,હિજરી સન પાંત્રીસમાં મદાઈનમાં વફાત થઈ છે, રદિયલ્લાહુ તઆલાઅન્હુ. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
Log in or Register to save this content for later.