મરવા પછીની જીંદગી.

Chapter : અકાઇદ અને ઇલ્મ

(Page : 92-93)

સવાલ(૧૦–૧૦)ઃ–          જો કોઈ મુસલમાન એમ કહે કે,મરવા પછી કબ્રમાં આપણને કીડા ખાઈ જશે,પછી કશું બાકી રહેશે જ નહિં,જેથી જન્નતમાં જવાનો પ્રશ્ન જ કયાં રહે છે ? અને હિસાબ આપવાનો સવાલ પણ રહેતો નથી,જેથી દુનિયામાં ખાઈ–પી મઝા કરી લો,મરવા પછી કાંઈ નથી,કુર્આન અને હદીસની રોશનીમાં આ બાબત કયાં સુધી સહીહ છે ? આવો અકીદો રાખનાર મુસ્લિમ રહેશે કે નહિં ? આવો ખોટો અકીદો ધરાવનારને સહીહ માર્ગે લાવવા માટે ઈસ્લામની દ્રષ્ટિએ કોઈ માર્ગ છે ખરો ?

જવાબ(૧૦–૧૦)ઃ–          દર્શાવેલ માન્યતા બાતિલ (કુફ્રિયહ) છે,તદ્દન ખોટી છે, મૃત્યુ પછી પુનઃજીવન એટલે કે કિયામતના દિવસે ફરી જીવતાં થવું તેમજ (અમલ મુજબ) જન્નત અગર જહન્નમમાં જવું કુર્આન અને હદીષથી સાબિત છે,અને એને નકારવું કુફ્ર છે,જેમકે ઈસ્લામ પૂર્વે કાફિરો આવી સત્યતાઓને નકારતા હતા,આથી સદર ભાઈ (ઉપરોકત માન્યતા ધરાવનાર) મુર્તદ (દીને ઈસ્લામ ત્યજી દેનાર) લેખાશે. અને એની પત્નિ એના નિકાહમાંથી નીકળી જશે,નવેસરથી ઈમાન લાવે અને ઉપરોકત માન્યતાથી તૌબહ કરે,નહિંતર હંમેશા માટે દોઝખના અઝાબને પાત્ર ઠરશે, નવેસર થી નિકાહ પણ પઢે.

(શર્હે અકાઈદ–૧૬૬)

               એવા માણસને (કુર્આન અને હદીષના તેમજ ઉલમાએ દીનની વાતોના હવાલા આપી) સમજાવવામાં આવે,જો એ ન સમજે તો પછી સમાજે એવી વ્યકિત નો બહિષ્કાર કરવો જોઈએ અને એની પત્નિને એનાથી અલગ કરવી જોઈએ. ફકત અલ્લાહ વધુ જાણનાર છે.                 (કિફાયતુલમુફતીઃ૧/૩૧)

Log in or Register to save this content for later.