Chapter : અકાઇદ અને ઇલ્મ
(Page : 91-92)
સવાલ(૮–૮)ઃ– કુર્આન અને હદીષને ન માનનારાઓ અંગે શુ હુકમ છે ?
જવાબ(૮–૮)ઃ – કુર્આન શરીફ અલ્લાહ તઆલાની કિતાબ છે,જે અલ્લાહ ના રસૂલ (સ.અ.વ.) પર મોિઅજઝારૂપે ઉતારવામાં આવી છે,એના ઉપર ઈમાન લાવવું ફર્ઝ છે,એને જાુઠાડવું કુફ્ર છે,બલ્કે એની કોઈ એક આયતનો નકાર કરવો પણ કુફ્ર છે,તેમાં શંકા કરવી પણ કુફ્ર છે,જેમકે કુર્આન શરીફમાં છે,”જાલિકલ કિતાબુ લા રય્બ ફીહિ,” અર્થાત આ કિતાબમાં કોઈ શંકા નથી; (સૂરએ બકરહ : ૧–ર)
જેથી કુર્આન શરીફને જાુઠાડવાથી કે શંકા કરવાથી ઈસ્લામથી નીકળી જશે, ખુદાપાકની પનાહ,નિકાહ તુટી જશે,નવેસરથી કલિમો તથા નિકાહ પઢવા પડશે;
કુર્આન શરીફના હુકમો મુજબ અમલ ના કરવાથી કાફિર લેખાશે નહિ, બલ્કે ફાસિક–અપરાધી કહેવાશે,તેમજ હદીષે મુતવાતિર (એટલે એવી રિવાયત જેને વર્ણન કરનારા દરેક યુગમાં એટલા પ્રમાણમાં હોય કે જાુઠની બદગુમાની થાય નહિં) ઉપર પણ ઈમાન ફર્ઝ છે,અને જાુઠાડવુ કુફ્ર છે,જે ખરી હદીષ આ દરજાની ન હોય તેને જાુઠાડવું કુફ્ર નથી બિદઅત છે,એટલે ઈમાનથી નીકળશે નહિં,ફાસિક લેખાશે, સખત ગુનેહગાર થશે,અઝાબને પાત્ર ઠરશે, કારણ કે હદીષ શરીફ,એ વહીયે ગેર મત્લૂ (જેની તિલાવત કરવામાં આવતી ન હોય) છે,કુર્આન શરીફમાં છે”વમા યન્તિકુ અનિલ હવા ” અર્થાત રસૂલુલ્લાહ (સ.અ.વ.) પોતાની ઈચ્છાથી બોલતા નથી; (સૂરએ નજમ નં.–૩)
માટે ખરી હદીષોનો નકાર કરવાથી ઈમાન જવાનો ભય છે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે. (શર્હે અકાઈદ : ૧૪)
Log in or Register to save this content for later.