Chapter : નમાઝ
(Page : 212-213)
સવાલ :– અમારા ગામમાં હાલમાં બે મસ્જિદો છે. એક જૂની જે મોટી મસ્જિદ ગણાય છે અને બીજી નવી જે નાની મસ્જિદ ગણાય છે. અત્યાર સુધી લોકો જૂની મસ્જિદમાં જુમ્અહની નમાઝ પઢતા હતા અને નાની મસ્જિદ તામીર થયા પછી પણ બધા જ લોકો જુમ્અહની નમાઝ મોટી મસ્જિદમાં જ પઢતા હતા. પરંતુ હવે થોડાક માણસોના આગ્રહના લીધે નાની મસ્જિદમાં પણ જુમ્અહની નમાઝ શરૂ કરી આપી છે, જેથી બંને મસ્જિદો ખાલી ખાલી માલૂમ પડે છે તો શું નવી મસ્જિદે જુમ્અહની નમાઝ દુરૂસ્ત ગણાશે ?
જવાબ :– પૂછેલી સૂરતમાં નાની મસ્જિદમાં પઢાતી જુમ્અહ દુરૂસ્ત તો ગણાશે, પરંતુ બહેતર અને એહતિયાતની વાત એ જ છે કે જુમ્અહ ફકત જૂની મોટી મસ્જિદમાં જ પઢવામાં આવે.
જે જગ્યાએ જુમ્અહ પઢવી ફર્ઝ છે એવા શહેર અને મોટા ગામમાં મુફતા બિહી (અમલ માન્ય) મંતવ્ય મુજબ એકથી વધુ મસ્જિદોમાં જુમ્અહ જાઈઝ હોવાનું કારણ એ બતાવવામાં આવ્યું છે કે મોટા અને વિશાળ શહેરમાં એક જ જગ્યાએ જુમ્અહ પઢવામાં ઘણાં લોકોને દૂર દૂરના મહોલ્લાઓમાંથી લાંબુ અંતર કાપી જુમ્અહમાં હાજર થવાની તકલીફ વેઠવી પડશે.
મજકૂર સ્થળે એક જ મસ્જિદમાં જુમ્અહ પઢવામાં ઉપરોકત તકલીફનો કોઈ ભય નથી અને જૂની મસ્જિદમાં વસ્તીના બધા નમાઝીઓનો સમાવેશ પણ થઈ શકે છે. માટે માત્ર અમુક માણસોની હઠના લઈ નવી મસ્જિદમાં જુમ્અહ ન પઢવી જોઈએ.
(‘દુર્રે મુખ્તાર, ‘શામી ૧/પપ૧)
હઝરત મૌલાના મુફતી કિફાયતુલ્લાહ સાહેબ (રહ.)એ પોતાના ફતવાઓમાં કોઈ મજબૂરી ન હોવાની હાલતમાં પૂરી વસ્તીમાં એક જ જગ્યાએ જુમ્અહની નમાઝ પઢવા ઉપર ખૂબ જ ભાર મૂકયો છે અને વગર જરૂરતે અનેક મસ્જિદોમાં જુમ્અહ પઢવાને મકરૂહ લખ્યું છે. (‘કિ. મુફતી ૩/ર૩૯)
હઝરત મૌલાના થાનવી (રહ.) દૂરથી આવવાની અથવા ભીડ વગેરેની કોઈ તકલીફ વિના માત્ર મતામતીની બુનિયાદ ઉપર એક જ આબાદીની બે મસ્જિદોમાં જુમ્અહ પઢવા વિશે લખે છે કે,
“દુસરી વજહે જવાઝે તઅદ્દુદ દફએ હરજ હે કે એક મસ્જિદમેં દૂર દરાઝસે સબકા આના દુશ્વાર હોગા ઔર છોટી જગહમેં યે ભી હરજ નહીં ”ફઈઝા ફાતતિલ્ ઈલ્લતુ ફાતલ્ મઅલૂલ” ચે જાએ કે યે તફરીક અઝ રાહે નફસાનિયત હો તો બહોત બેજા ઔર મુશાબહત હે અહલે મસ્જિદે ઝિરાર કે સાથ. (‘ઈમ્દાદુલ ફતાવા ૧/૬પ૧)
Log in or Register to save this content for later.