Chapter : અકાઇદ અને ઇલ્મ
(Page : 87)
સવાલ(૧–૧):– આપણા પયગમ્બર હઝરત આદમ (અલૈ.)ને અલ્લાહ તઆલાએ કઈ વસ્તુમાંથી પૈદા કર્યા હતા ? શું તેઓને નૂરમાંથી પૈદા કરવામાં આવ્યાં હતાં ?
જવાબ(૧–૧):– અબૂલબશર (માનવીયોના પિતા)હઝરત આદમ (અલૈ.) ને માટીમાંથી પૈદા કરવામાં આવ્યા હતા,હદીષ શરીફમાં વર્ણન છે કે,જગતની દરેક પ્રકારની (કાળી,ધોળી) માટીમાંથી આપનું પૂતળું (પ્રતિમા) તૈયાર કરવામાં આવ્યું હતું,પછી એક મુદ્દત (આકાશ ધરતીના સર્જન) બાદ જુમ્અહ ના દિવસે અસર બાદ (શુક્રવારે ઢળતી સાંજે) ઉકત પૂતળામાં રૂહ (પ્રાણ) પુરવામાં આવી હતી,અને આપને અલ્લાહ તઆલાએ કેવળ પોતાની કુદરતથી (માતા પિતા વગર) પૈદા કર્યા હતા.આ બાબત કુર્આન શરીફથી પણ સાબિત છે.આથી માનવી ખાકી મખલૂક કહેવાય છે,માનવીનું મૂળ તથ્ય માટી છે. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે. (મઝાહિરે હકઃ ૧/૧પ૭)
Log in or Register to save this content for later.