Chapter : રોઝહ
(Page : 452 to 454)
સવાલ :– જયારે રમઝાનનો મહિનો આવે છે ત્યારે ઘણી ઓરતો માહવારી ખૂનને રોકવા માટે દવાનો ઉપયોગ કરે છે. એટલા માટે કે રમઝાન મુબારકનો પૂરો મહિનો રોઝાની હાલતમાં પસાર થાય અને રમઝાનના રોઝાની ફઝીલત ન છુટવા પામે અને રોઝાની કઝા ન કરવી પડે, તો મઝકૂર હેતુથી ઓરતોએ દવાનો ઉપયોગ કરવો જાઈઝ છે કે નહિ ? અને આ પ્રમાણે દવાના ઉપયોગથી માહવારી રોકીને રાખેલા રોઝાનો શું હુકમ છે? (હાજી યાકૂબ આદમ, ગોરેગાંવ, મુંબઈ)
જવાબ :– જો કોઈ ઓરતને માહવારી અવરોધક દવાનો ઉપયોગ કરવાથી રમઝાન મહિનામાં માહવારી ખૂન બિલકુલ ન આવે, તો તે પાક ગણાશે, અને દર મહિનામાં માહવારી ખૂન વહેવાની નિયમિત આદતના દિવસોમાં દવાના કારણે માહવારી બંધ રહેવાથી અને પાકીની હાલતમાં રોઝા રાખવાથી રોઝા જાઈઝ અને દુરસ્ત ગણાશે. અલબત્ત, જો મઝકૂર દવાનો ઉપયોગ કરી માહવારી ખૂન રોકવાથી ઓરતની તંદુરસ્તી બગડવાનો અને કોઈ બીમારી લાગુ પડવાનો ભય હોય અને જે ઓરતને નિયમિત માહવારી ખૂન આવતું હોય અને આવી દવા લેવાથી માહવારીની નિયમિતતા જોખમાતી હોય અને તેના કારણે ભવિષ્યમાં પાકી અને નમાઝ, રોઝાની અદાયગીમાં ગૂંચવણ અને મૂંઝવણ ઉભી થવાનો ભય હોય અથવા દવામાં કોઈ નાજાઈઝ અને હરામ વસ્તુની મિલાવટ હોય, તો માહવારી રોકવા દવાનો ઉપયોગ કરવો દુરસ્ત નથી અને જો આવું નુકસાન થવાનો કોઈ ભય ન હોય તો મઝકૂર દવાનો ઉપયોગ કરવો જાઈઝ છે, પરંતુ બેહતર આ છે કે રોઝાની કઝાથી બચવા માટે માહવારી રોધક દવાનો ઉપયોગ ન કરે, બલ્કે માહવારીની નિયમિત આદત અને તબીયતની પ્રકૃતિ મુજબ માહવારી રહેવા દે અને માહવારીના કારણે છૂટેલા રોઝાઓની કઝા કરે, કારણ કે અમુક ફતવાના અભ્યાસથી માલૂમ પડે છે કે આવી દવાનો ઉપયોગ કરવાથી તંદુરસ્તી જોખમાય છે અને શરીઅતના હુકમ મુજબ ગેર ઈખ્તિયારી ઉઝરના કારણે રોઝા છોડવાથી અને છૂટેલા રોઝાઓની ગેર રમઝાનમાં કઝા કરવાથી એમ પણ ન સમજે કે કઝા રોઝાઓનો સવાબ ઓછો મળશે અને દવા વડે માહવારી રોકવાથી અને રમઝાન મુબારકમાં જ બધા રોઝાઓ અદા કરવાથી સવાબ વધુ મળશે. (આપકે મસાઈલઃ ર૭૮ –૩ / ફ. રહીમિય્યહ ૪૦૪ /૬)
Log in or Register to save this content for later.