Chapter : રોઝહ
(Page : 452)
સવાલઃ– આજકાલ અનેક પ્રકારની દવાઓનું સંશોધન થયું છે, તેમાં એક દવા એવી પણ છે કે જેનાથી સ્ત્રીઓની પાકીની મુદ્દત લંબાવી શકાય છે. તો શું આ દવાનો ઉપયોગ કરીને પાકીનો ગાળો લંબાવી રમઝાનના રોઝા રાખી શકાય છે ? આ પ્રમાણે ઓરતની હૈઝની આદતાના વિરૂદ્ય દવાથી તેનું રોકાણ કરી રોઝા રાખવાથી રોઝામાં કોઈ વાંધો તો નહિ આવે ?
જવાબઃ– જો આ પ્રમાણે હૈઝ બંધ રાખવાની દવામાં કોઈ હરામ અને નાજાઈઝ વસ્તુનું મિશ્રણ ન હોય તો તેનો ઉપયોગ કરવામાં કોઈ ગુનાહ નથી અને તે દવાથી જયાં સુધી હૈઝ બંધ રહેશે ત્યાં સુધી ઓરત પાકીની હાલતમાં જ બાકી ગણાશે. ચાહે તે દિવસો દવા ઉપયોગ કરનાર ઓરતની હૈઝની આદતના દિવસો હોય અને આવી પાકીની હાલતમાં રાખેલા રોઝા પણ જાઈઝ અને દુરસ્ત ગણાશે. પાછળથી તેની કઝા નહિ કરવી પડે. (શામી : ર૦૪ ભા.૧)
અલબત્ત, જો હૈઝની આદત વિરૂદ્ય આ પ્રમાણે દવા વડે પાકી બાકી રાખવાથી તંદુરસ્તી બગડવાનો ભય હોય, તો બેહતર આ છે કે આવી દવાનો ઉપયોગ ન કરવામાં આવે.
Log in or Register to save this content for later.