[૩૮૭] મસ્જિદમાં રોઝો ઈફતાર કરવો

Chapter : રોઝહ

(Page : 448)

સવાલઃ– ફકત ખજૂરની એક બે પેશીઓથી મસ્જિદમાં એટલે કે જમાઅતખાનામાં રોઝો ઈફતાર કરી શકાય કે નહિ ?

જવાબઃ– મુઅતકિફ અને બીજી કોઈ જગ્યાનો રહેવાસી અજનબી માણસ મસ્જિદ એટલે જમાઅતખાનામાં પણ ઈફતાર કરી શકે છે અને ગેર મુઅતકિફ મકામી માણસ માટે મસ્જિદે શરઈમાં ફકત એક – બે ખજૂરની પેશીઓથી ઈફતાર કરવો પણ મકરૂહ છે. કારણ કે ફિકહની કિતાબોમાં મસ્જિદમાં ખાવાની કરાહતમાં થોડા કે વધુ પ્રમાણમાં ખાવાનો કોઈ ફરક કરવામાં આવ્યો નથી.       (શામી : ૪૪૪ ભા. ૧)

Log in or Register to save this content for later.