Chapter : રોઝહ
(Page : 448)
સવાલઃ– ફકત ખજૂરની એક બે પેશીઓથી મસ્જિદમાં એટલે કે જમાઅતખાનામાં રોઝો ઈફતાર કરી શકાય કે નહિ ?
જવાબઃ– મુઅતકિફ અને બીજી કોઈ જગ્યાનો રહેવાસી અજનબી માણસ મસ્જિદ એટલે જમાઅતખાનામાં પણ ઈફતાર કરી શકે છે અને ગેર મુઅતકિફ મકામી માણસ માટે મસ્જિદે શરઈમાં ફકત એક – બે ખજૂરની પેશીઓથી ઈફતાર કરવો પણ મકરૂહ છે. કારણ કે ફિકહની કિતાબોમાં મસ્જિદમાં ખાવાની કરાહતમાં થોડા કે વધુ પ્રમાણમાં ખાવાનો કોઈ ફરક કરવામાં આવ્યો નથી. (શામી : ૪૪૪ ભા. ૧)
Log in or Register to save this content for later.