Chapter : નમાઝ
(Page : 207-208-209-210)
સવાલ :– અમારા ગામમાં જુમ્અહના દિવસે જુમ્અહ પઢવા આવનાર જુવાનિયા છોકરાઓ અને મોટી ઉંમરના માણસો મસ્જિદની અંદર કે મસ્જિદથી બહાર મસ્જિદની નઝદીક ખુત્બહના સમયે સતત વાતચીત અને ઘોંઘાટ કરે છે તેમના વિષે શરીઅતથી શું હુકમ છે ? અને આ વિષે મુતવલ્લીની શું જવાબદારી છે? તે જણાવશો.
(સિદ્દીક એ. શેખ, સીદુમ્બર, જિ.વલસાડ)
જવાબ :– ખુત્બહ થતો હોય ત્યારે ખુત્બહ સાંભળવો વાજિબ છે અને ચૂપ રહેવું ઝરૂરી છે અને તે સમયે કોઈ પણ પ્રકારની વાતચીત કરવી નાજાઈઝ છે, અહિંયા સુધી કે તસ્બીહ પઢવાની, તિલાવત કરવાની સલામનો જવાબ આપવાની કોઈ વાત કરનારને મોઢેથી બોલીને ચૂપ કરવાની પણ મનાઈ છે.
ખુત્બહ સાંભળવાની અને તે સમયે ચૂપ રહેવાની એટલી મહત્ત્વતા અને તાકીદ છે કે ખુત્બહના સમયે કોઈ નફલ સુન્નત નમાઝ અને મન્નત જેવી વાજિબ નમાઝ પઢવાની પણ મનાઈ છે, જે માણસ સાહિબે તરતીબ ન હોય તેના માટે કઝા નમાઝ પઢવી પણ મકરૂહ છે. (‘દુર્રે મુખ્તાર, ‘શામી ૧/રપર,પપ૧)
અને ખુત્બહ શરૂ થઈ જાય તે સમયે મસ્જિદમાં દાખલ થઈ ધ્યાનપૂર્વક ખુત્બહ સાંભળવો વાજિબ છે. મસ્જિદની બહાર બેસી રહેવું બેસીને વાતો કરવી નાજાઈઝ છે.
“બુખારી શરીફ અને ‘મુસ્લિમ શરીફમાં હઝરત અબૂ હુરૈરહ (રદિ.)થી રિવાયત છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે,
“જો ઈમામ ખુત્બહ પઢતો હોય ત્યારે તમારા કોઈ સાથીને (જે વાત કરતો હોય) ‘ચૂપ રહો કહ્યું તો તમોએ બેકાર કામ કર્યું.
ઈમામ અહમદ (રહ.) ઈબ્ને અબ્બાસ (રદિ.)થી રિવાયત નકલ કરે છે,
“જે માણસ જુમ્અહના દિવસે ઈમામના ખુત્બહ પઢવાના સમય દરમ્યાન વાતચીત કરે તો તેની હાલત તે ગધેડા જેવી છે કે જે પોતાની પીઠ ઉપર કિતાબોનો ભાર ઉઠાવી રહ્યો છે અને જે માણસ તે વાત કરનારને ‘ચૂપ થાવ કહે તો તે કહેનારને જુમ્અહનો સવાબ નહિ મળે. (‘મિશ્કાત શરીફ ૧ર૩)
આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ઉપરોકત ફરમાનોમાં કેટલા સ્પષ્ટ શબ્દોમાં ખુત્બહના સમયે વાતચીત કરવાની સખત મનાઈ મવજૂદ છે.
મસ્જિદમાં સતત વાતચીત અને ઘોંઘાટ તો ખુત્બહ સિવાય અન્ય કોઈ સમયે પણ જાઈઝ નથી તો પછી ખુત્બહ સાંભળવો જે વ્યકિતગત વાજિબ છે તેને છોડીને બીજાઓના સાંભળવામાં પણ ખલલ પડે એ રીતે વાતચીત તો વિશેષ રીતે નાજાઈઝ છે.
એક હદીસમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે,
“અને તમો તમારી મસ્જિદોને તમારા ઊંચા અવાજો (ઘોંઘાટ)થી બચાવો. (‘કબીરી ૬૧૧)
હઝરત મુફતી મુહમ્મદ શફીઅ (રહ.) નકલ ફરમાવે છે કે,
‘ફતહુલ કદીરમેં લીખા હે કે, મસ્જિદમેં દુન્યાકી બાતેં નેકીયોંકો ઈસ તરહ ખા લેતી હેં જિસ તરહ આગ લકડિયોંકો ખા લેતી હે ઔર ‘ખિઝાનતુલ ફિકહમેં લિખા હે કે, જો શખ્સ મસ્જિદમેં દુન્યાકી બાતેં કરતા હે અલ્લાહ તઆલા ઉસકે ચાલીસ દિનકે અમલ ખબ્ત કર દેતા હે. (અશ્બાહ)
આગળ લખે છે :–
અફસોસ કે લોગ આજકલ ઈસસે બહોત ગાફિલ હેં. અકસર તો દુન્યાકી બાતોં હી મેં ઈસ કદર શોર કરતે હેં કે મુહઝ્ઝબ ચોપાલોં ઓર નશિસ્તગાહોંમેં ભી ઐસા નહીં હોતા–ખુદાકી પનાહ, શરીઅતે ઈસ્લામ તો મસ્જિદમેં આવાઝસે તિલાવતે કુર્આન ઔર ઝિક્ને જહર કો (જ્યારે કોઈની ઈબાદતમાં ખલલ પડે તો) નાજાઈઝ કરાર દે ઓર નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ફરમાએં કે, બાઝારો કે શોરસે બચો ઓર મુસલમાનીકા દઅવા કરનેવાલે દુન્યાકી બાતોંસે મસ્જિદકો બાઝાર કા નમૂના બનાએં ?
ہر گز باور نمی آید زسروئے اعتقاد
ایں ہم ہمہ کردن ودین پیغمبر داشتن
મને માન્યતાની દષ્ટિએ જરા પણ યકીન બેસતું નથી કે કોઈ માણસ દીને પયગમ્બરનો દાવેદાર બનીને આ પ્રમાણે શોર ઘોંઘાટ કરતો હોય.
આગળ લખે છે :–
યાદ રહે કે જો લોગ મસ્જિદોંમેં શોર કરકે તસ્બીહ વ તહમીદ કરનેવાલે ઔર નમાઝ પળ્હનેવાલે ફરિશ્તોં ઔર ઈન્સાનોં કે ઝિક્નો શુગલમેં ખલલ ડાલતે હેં વો ઈસ આયતકે તહત વઈદમેં દાખિલ હેં.
ومن اظلم ممن منع مسجد اللہ ان یذکر فیھا اسمہ وسعی فی خرابھا
અર્થાત : ઓર ઉસ શખ્સસે ઝયાદા ઝાલિમ કોન હે જો ખુદાકી મસ્જિદોમેં ઉસકે ઝિક્ન કરનેસે મના કરે ઔર મસ્જિદોં કે વેરાન હોનેકી કોશિશ કરે. (‘મુન્યતુસ્સાજિદ ૧૭)
મુતવલ્લીને જોઈએ કે આ પ્રમાણે શરીઅતનો હુકમ અને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી સાબિત વઈદો લોકો સમક્ષ રજૂ કરી આપે. જો તે છતાં લોકો નહિં બચે તો તેઓ ગુનાહગાર અને વઈદના પાત્ર થશે. મુતવલ્લી ગુનાહગાર નહિ થાય.
Log in or Register to save this content for later.