Chapter : રોઝહ
(Page : 444)
સવાલ :– રમઝાન મહિનામાં કોઈ મર્દ કે ઓરતનો ઈન્તેકાલ થાય તો મુસ્લિમ ભાઈઓને એમ કહેતા સાંભળ્યા છે કે સારું મોત થયું. કારણ કે હિસાબ કિતાબ વગર જન્નતમાં જાય છે અને તેનો હિસાબ કિતાબ થતો નથી. બીજું કે દોઝખના દરવાજા બંધ કરી આપે છે, જેથી જન્નતમાં જાય છે. તો આ વિષે સહીહ હદીષ જણાવશોજી.
જવાબ :– આવા મુસલમાનને અઝાબે કબ્ર થતો નથી. પરંતુ કયામતના દિવસનો હિસાબ કિતાબ તો દરેકને માટે છે અને રમઝાન મુબારકમાં જન્નતના દરવાજા ખુલવાનો મતલબ નેકીઓની તવફીક મળવાનો અને જહન્નમના દરવાજા બંધ થવાનો મતલબ ગુનાહોથી મહફૂઝ રહેવાનો છે. હદીસમાં આવેલી આ ફઝીલતનો મતલબ એવો નથી કે જે રમઝાનમાં મરણ પામે તે સીધો જન્નતમાં જાય છે અને દોઝખથી મુકત રહે છે. (શુરૂહે હદીષ)
Log in or Register to save this content for later.