[૩૭૮] આખરી અશરહમાં નફલ એઅ્‌તિકાફ

Chapter : રોઝહ

(Page : 440-441)

સવાલઃ–  રમઝાનુલ મુબારકના આખરી અશરહમાં એઅ્‌તિકાફ કરવો સુન્નત છે. અમુક લોકો અખીરી અશરહમાં બે ચાર દિવસનો નફલ એઅ્‌તિકાફ કરવા ચાહે છે તો કેટલાક  લોકો કહે છે કે આખરી અશરહમાં નફલ એઅ્‌તિકાફ ન કરી શકાય અને પહેલા કે બીજા અશરહમાં અમુક દિવસોનો નફલ એઅ્‌તિકાફ કરવા કહે છે અને સાથે એમ પણ કહે છે કે આ પ્રમાણે આખરી અશરહમાં બે – ત્રણ દિવસોનો નફલ એઅ્‌તિકાફ કરવાથી લોકો પૂરા અશરહનો સુન્નત એઅતિકાફ છોડી માત્ર નફલ એઅ્‌તિકાફ કરવા લાગશે. તો શું રમઝાન મુબારકના આખરી અશરહમાં એક અથવા એકથી વધુ દિવસોનો નફલ એઅ્‌તિકાફ કરી શકાય કે નહિ ?

જવાબ :– જેવી રીતે રમઝાન મુબારકના પહેલા, બીજા અશરહમાં અને રમઝાન સિવાય સાલના બીજા દિવસોમાં એક દિવસનો કે અનેક દિવસોનો નફલ એઅ્‌તિકાફ કરવો જાઈઝ છે એવી જ રીતે રમઝાનના આખરી અશરહમાં એક કે અનેક દિવસોનો નફલ એઅ્‌તિકાફ કરવો પણ વિના કરાહતે જાઈઝ છે અને આખરી અશરહમાં નફલ એઅ્‌તિકાફને એવા ભય અને શકયતાથી નાજાઈઝ કહેવું અને રોકવું કે લોકો સુન્નત એઅ્‌તિકાફને છોડી આપશે એ દુરૂસ્ત નથી, કારણકે કોઈ  માણસ સુન્નત કે નફલ કોઈ પણ પ્રકારનો એઅ્‌તિકાફ ન કરે, તેના મુકાબલામાં તે નફલ એઅ્‌તિકાફ કરે એ નિસંદેહ અફઝલ છે. અને શકય છે કે માણસને નફલ અને મુસ્તહબ એઅ્‌તિકાફ કરવાથી ધીરે ધીરે સુન્નત એઅ્‌તિકાફની રગબત અને હિંમત પ્રાપ્ત થાય અને ફિકહની કિતાબોમાં મઝકૂર નફલ એઅ્‌તિકાફની કોઈ મનાઈ કે કરાહત મઝકૂર નથી.

Log in or Register to save this content for later.