[૩૭૩] મસ્નૂન એઅ્‌તિકાફનો શરૂ વખત વીસમીના ગુરૂબે આફતાબથી

Chapter : રોઝહ

(Page : 435-436)

સવાલ :– રમઝાનના અશરએ અખીરહનો એઅ્‌તિકાફ કરનાર માણસ મસ્જિદમાં એઅતિકાફ કયારથી શરૂ કરે, પહેલેથી એઅ્‌તિકાફમાં બેસવાનો ઈરાદો હોવા છતાં ઈશાની નમાઝથી પહેલાં એઅ્‌તિકાફમાં બેસે તો દુરુસ્ત છે કે નહિ ?

જવાબઃ– અશરએ અખીરહના મસ્નૂન એઅ્‌તિકાફ માટે વીસમી રમઝાનના ગુરૂબે આફતાબથી એઅ્‌તિકાફમાં બેસી જવું જોઈએ. જો મગરિબની નમાઝ બાદ અને ઈશાથી પહેલાં એઅ્‌તિકાફ શરૂ કરશે તો મસ્નૂન એઅ્‌તિકાફનું સંપૂર્ણ પ્રમાણ પૂરૂ ન થવાથી સુન્નત એઅ્‌તિકાફ અદા નહિ થાય.                                 (ઈ.ફતાવા–ર/૧૬પ)

Log in or Register to save this content for later.