Chapter : રોઝહ
(Page : 433)
સવાલ :– ઓરત રમઝાનમાં અશ્રએ અખીરહનો એઅ્તિકાફ કરી શકે કે નહિ ? અને તેના એઅ્તિકાફની જગ્યા કઈ છે ? અશ્રએ અખીરહ સિવાય કોઈ નફલ એઅ્તિકાફ કરી શકે કે નહિ ? અને તે કેટલા દિવસ બેસી શકે છે ?
જવાબઃ– ઓરત પણ મર્દની જેમ રમઝાનના છેલ્લા દસકાનો મસ્નૂન એઅ્તિકાફ કરી શકે છે અને ઓરત માટે એઅ્તિકાફ કરવાની જગ્યા ઘરની મસ્જિદ છે, એટલે ઘરમાં તે જગ્યા જે નમાઝ, તિલાવત વિ. ઈબાદત માટે નક્કી કરેલી હોય અને જો કોઈ જગ્યા પહેલેથી નકકી કરેલી ન હોય તો હવે પછી ઘરમાં કોઈ જગ્યા ઈબાદત માટે નક્કી કરી લેવામાં આવે અને તે ઈબાદતની જગ્યામાં એઅ્તિકાફ કરે. રમઝાનમાં અશ્રએ અખીરહના એઅ્તિકાફ સિવાય બીજા દિવસોમાં ઓરત નફલ એઅ્તિકાફ પણ કરી શકે છે અને તે ચાહે તેટલા દિવસોનો નફલ એઅ્તિકાફ કરી શકે છે; પરંતુ ઓરત માટે હૈઝ અને નિફાસના દિવસોમાં એઅ્તિકાફ કરવો જાઈઝ નથી અને એઅતિકાફ કરનાર ઓરત જો પરિણીત હોય તો એઅતિકાફ કરવા માટે શોહરની ઈજાઝત લેવી ઝરૂરી છે. (શામી :ર/૧ર૯)
Log in or Register to save this content for later.