[૩૬૬] લગાતાર દસ દિવસનો એઅ્‌તિકાફ સુન્નત છે

Chapter : રોઝહ

(Page : 427-428)

સવાલ :– અમારા ગામમાં દર વર્ષની જેમ રમઝાનુલ મુબારકમાં આ વર્ષે ૧૯૯૪માં એઅ્‌તિકાફમાં બેસવા માટે કોઈ તૈયાર ન હતું. તેથી ગામના અમુક આગેવાનો તશ્‌કીલ કરવા માટે ફળિયામાં ઘેર ઘેર ગયા. તેમાં એક મૌલાના સાહેબ દસ દિવસ એઅ્‌તિકાફમાં બેસવા માટે તૈયાર થયા, પરંતુ મૌલાના સાહેબે એમ કહયું કે મારે બે – ત્રણ દિવસનું કામ હોવાથી ઈરફાન ભાઈને હમણાં બે – ત્રણ દિવસ બેસાડો પછી હું એઅતિકાફમાં ર૩માં રોઝે બેસીશ. પછી તે ભાઈ મસ્જિદમાં એવું કહી ગયા કે હવે એઅતિકાફ તમે જ પૂરો કરી લ્યો કેમકે હવે હું એઅ્‌તિકાફમાં બેસીશ તો મારો નફલ એઅ્‌તિકાફ ગણાશે. ફર્ઝનો સવાબ મળશે નહિ. ઈરફાનભાઈ બે દિવસની નિય્યત કરી બેઠેલા. તો આ રીતે જુઠું બોલી શકાય? તે માટે શરઈ શું હુકમ છે ?

જવાબ :– રમઝાનુલ મુબારકના આખરી અશરહનો એઅ્‌તિકાફ મસ્જિદના બધા નમાઝીઓ માટે સુન્નતે કિફાયહ મુઅક્‌કદહ છે અને મઝકૂર સુન્નત એઅ્‌તિકાફની અદાયગી માટે ઝરૂરી છે કે મસ્જિદના નમાઝીઓમાંથી કોઈ એક અથવા અનેક માણસો પૂરા અશરહના સુન્નત એઅ્‌તિકાફની નિય્યત કરીને બેસે અને પૂરા અશરહનો એઅતિકાફ પૂરો કરે. સવાલમાં લખવા મુજબ બે માણસોએ થોડા થોડા દિવસોનો એઅ્‌તિકાફ કરી અશરહનો એઅતિકાફ કરવાથી સુન્નત એઅ્‌તિકાફ અદા નહિ થાય. માટે તમારા ગામના લોકોએ જે રીતે અશરહના સુન્નત એઅ્‌તિકાફની વ્યવસ્થા કરી હતી તે દુરૂસ્ત નથી. સુન્નતે કિફાયહ એઅ્‌તિકાફ અદા કરવાની જવાબદારી પૂરી આબાદીની છે, માત્ર મોલવી સાહેબની નથી અને મોલવી સાહેબ કહયા પછી કોઈ કારણસર ન બેસી શકે તો તે મઅઝૂર ગણાશે. ગુનેહગાર નહિ ગણાય અને તેને જૂઠ નહિ કહેવાય.        (શામી – ર)

Log in or Register to save this content for later.