[૩૬૩] શબે કદ્રના આ’માલ

Chapter : રોઝહ

(Page : 425)

સવાલ :– આ કાગળ સાથે બે પરચા કે જેમાં શબે કદ્રની ફઝીલત છે અને શબે કદ્રમાં પઢવાની નમાઝો છે, આપથી એ જાણવું છે કે મઝકૂર નમાઝો ખાસ શબે કદ્ર્રમાં પઢવાની બતાવેલી છે? શું તે મુઅતબર કિતાબથી સાબિત છે જો સાબિત હોય તો તેનો હવાલો આપવા મહેરબાની કરશોજી. કારણકે અહીં કેટલાક લોકોને એમાં શક છે.

જવાબ :– શબે કદ્રમાં ઈબાદત કરવાની ફઝીલતો કુરઆન અને હદીસોથી સ્પષ્ટ રીતે સાબિત છે અને તે ઈબાદત અનેક તરીકાઓથી થઈ શકે છે, કારણકે દરેક માણસ પોત પોતે અલગ અલગ ગમે તેટલી સંખ્યામાં નફલ નમાઝોની રકઅતો પઢે, સલાતુત્તસ્બીહ પઢે,  કુરઆન શરીફ,  તસ્બીહાત અને દુરૂદો સલામ પઢે. (શામી–૧/૪૬૧) બાકી સહીહ હદીસથી તો ફકત હઝરત આઈશા (રદિ.)થી નકલ કરવામાં આવેલ દુઆ છે જે ખાસ શબે કદ્ર માટે છે. એ સિવાય બંને પરચાઓમાં શબે કદ્રનાં જેટલા અમલો નકલ કરવામાં આવ્યા છે તે મુજબ દરેક માણસ અલગ અલગ પોતાની ઈબાદત કરે તો એ જાઈઝ છે, બાકી પરચાઓમાં બતાવેલી નમાઝો અને તેનો તરીકો કોઈ સહીહ હદીસ અને ફિકહ ફતાવાની કિતાબથી સાબિત નથી. જે કિતાબના હવાલાઓથી મઝકૂર નમાઝો લખવામાં આવી છે, નુઝહતુલ્‌ મજાલિસ અને દુર્રતુન્‌ નાસિહીન તે વઅઝની કીતાબો છે, ફિકહ અને ફતાવા,  મસાઈલ કે મુઅતબર હદીસની કિતાબો નથી, માટે મઝકૂર કિતાબથી નફલ નમાઝો અને બીજા અમલોને ખાસ શબે કદ્રની સુન્નતો સમજીને ન કરવા જોઈએ.

Log in or Register to save this content for later.