Chapter : રોઝહ
(Page : 421-422)
સવાલ :– રમઝાન મહિનામાં જયારે ૧૦ દિવસ કે ર૦ દિવસના એઅ્તિકાફમાં બેઠા હોઈએ તો આ સમય દરમ્યાન જયાં સુધી ગુસલ ફર્ઝ ન હોય તો ગુસલ કરી શકતા નથી, એટલે કે એઅ્તિકાફના સમય દરમ્યાન જુમ્અહના દિવસે પણ જો ગુસલ ફર્ઝ ન હોય તો ગુસલ કરી શકતા નથી. શું આ બરાબર છે કે તેમાં કોઈ પ્રકારની છુટછાટ છે?
જવાબ :– એઅ્તિકાફની હાલતમાં ખાસ જુમ્અહના ગુસલ માટે મસ્જિદથી બહાર નીકળવું અને જુમ્અહનું ગુસલ કરવું દુરૂસ્ત નથી, એવું કરવાથી નીકળવાના દિવસનો એઅતિકાફ ફાસિદ થઈ જાય છે. અલબત્ત, જુમ્અહના દિવસે મુઅતકિફ માણસ પેશાબ પાખાના માટે નીકળે અને પાછાં ફરતાં રસ્તામાં ગુસલખાનું ખાલી જોઈને જલ્દી જલ્દી ગુસલ પણ કરતો આવે તો એ પ્રમાણે ગુસલ કરી લેવું જાઈઝ છે (ઈ. ફતાવા ૧૬પ ભા.ર /શામી ૧૩ર ભા.ર)
Log in or Register to save this content for later.