[૩પ૬] હંગામી મસ્જિદમાં એઅ્‌તિકાફ

Chapter : રોઝહ

(Page : 419)

સવાલ :–  ગામથી અલગ વસ્તીમાં અમને મસ્જિદ  માટે જગ્યા મળેલ છે, તેનું માપ ૧૦૦ શ્ ૧૦૦ છે. હાલમાં અમોએ તેની બાઉન્ડરી માટે વરંડો ચણેલ છે, તેની અંદર પાકી મસ્જિદ બાંધવા માટેનો ખર્ચ વધારે હોવાથી આશરે ૧૦ થી ૧પ વર્ષ સુધીમાં પાકી તથા કાયમી મસ્જિદ થાય તેમ છે, ત્યાં સુધી અમોએ તે વરંડાની અંદર એક બાજુ ઈબાદત માટે કામ ચલાઉ ઈબાદત ખાનું બનાવેલ છે, જેમાં મદ્રસો પઢાવવામાં આવે છે, પાંચ ટાઈમની જમાઅત થાય છે, ઓરતોનો ઈજતિમા થાય છે, જુમ્આની નમાઝ માટે ગામમાં જુમ્અહ મસ્જિદમાં જઈએ છીએ. સવાલ એ છે કે રમઝાન શરીફમાં છેલ્લા અશરહનો એઅતેકાફ આ ઈબાદતખાનામાં થઈ શકે કે કેમ ? ઈબાદતખાનાનું માપ ૩૬’ શ્ ૧૮’ અને સહેન ૩૬’ શ્ ૧પ’ છે.

જવાબ :– એઅ્‌તિકાફની શર્તો પૈકી એક શર્ત આ છે કે મર્દ મસ્જિદે જમાઅતમાં એઅ્‌તિકાફ કરે, એટલે એવી મસ્જિદમાં એઅ્‌તિકાફ કરે જેમાં અઝાન, ઈકામત સાથે જમાઅત થતી હોય. મઝકૂર ઈબાદત ખાના બાબત હાલ મસ્જિદ હોવાની નિય્યત કરવામાં આવી નથી, બલ્કે હંગામી તૌર પર નમાઝ માટે જગ્યા નકકી કરવામાં આવી છે એટલે તેમાં અશરએ અખીરહનો એઅ્‌તિકાફ કરવો દુરૂસ્ત નથી.   (આલમગીરી – ૧/ ર૧૧)

Log in or Register to save this content for later.