[૩પ૩] નવમી – દસમી મુહર્રમના આ’માલ

Chapter : રોઝહ

(Page : 415-416)

સવાલઃ– મુહર્રમની નવમી અને દસમી તારીખે કયા કયા અમલ કરવા સહીહ છે?  અને કરવા જોઈએ ?

જવાબ :– મુહર્રમની નવમી અને દસમી તારીખે રોઝો રાખવો મુસ્તહબ છે અને દસમી તારીખે ઘરમાં બીજા દિવસો કરતાં સારૂ અને વધુ ખર્ચવાળુ ખાવું પકાવીને બાલબચ્ચાઓને ખવડાવવું એ પણ મુસ્તહબ છે અને ગરીબોને ખવડાવીને પોતાના મર્હુમોને ઈસાલે સવાબ કરવો એ પણ સવાબનું કામ છે, પરંતુ ખાસ દસમી મુહર્રમે ખવડાવી ઈસાલે સવાબ કરવાની બીજા દિવસો કરતા વિશેષ ફઝીલત અને વધુ સવાબની માન્યતા ન રાખવી જોઈએ.

                હદીસ શરીફમાં છે કે, જે માણસ આશૂરાના દિવસે બાલબચ્ચાને ખવડાવવામાં છૂટછાટ અને વધુ ખર્ચ કરશે તો અલ્લાહ તઆલા તે પુરા વર્ષ દરમિયાન તેની રોઝીમાં બરકત અને છૂટછાટ અતા ફરમાવશે. હઝરત જાબિર (રદિ.) કહે છે કે મેં ચાળીસ વર્ષ સુધી આ મુસ્તહબનો અમલી અનુભવ કર્યો છે કદી હું મઝકૂર હદીસની ફઝીલતથી મહરૂમ રહયો નથી.                                             (શામી : ૧૧૩ ભા. ર )

Log in or Register to save this content for later.