Chapter : નમાઝ
(Page : 198)
સવાલ :– હું ખૂંટેજનો રહેવાસી છું અને હું નડિયાદમાં નોકરી કરું છું, મારી પહેલી ટ્રીપ અમદાવાદની છે. જે નડિયાદથી ૪૦ કિ.મી. દૂર જવાનું છે અને ત્યાંથી નડિયાદ પરત આવીને બીજી ટ્રીપ વડોદરાની છે. જે નડિયાદથી પ૦ કિ.મી. દૂર છે. તો આ સૂરતમાં અમદાવાદથી વડોદરાનું અંતર ૯૦ કિ.મી. થાય છે, પણ નડિયાદથી એક પણ સાઈડનું અંતર ૭૮ કિ.મી. નથી. તો આ સુરતમાં નમાઝ કેવી પઢવી ?
જવાબ :– જો ખૂંટેજનો રહેવાસી માણસ આ પ્રમાણે નિય્યત કરે કે મારે નડિયાદ જઈને ત્યાંથી અમદાવાદ અને અમદાવાદથી નડિયાદ થઈને વડોદરા જવું છે તો ખુંટેજથી નીકળીને મુસાફિર ગણાશે. અને સફર દરમિયાન કસર નમાઝ પઢશે. (શામી – ર/૬૧પ)
Log in or Register to save this content for later.