Chapter : રોઝહ
(Page : 412-413)
સવાલ :– જો આવી હાલતવાળી આરતે તેની હૈઝની આદતના સાત દિવસો પૂરા થયા પછી આઠમાં, નવમાં અને દસમાં દિવસે લોહી વહેવાની હાલતમાં રમઝાનના રોઝા રાખ્યા તો તે રોઝા સહીહ અને મોઅતબર ગણાશે કે નહિ? અથવા ગેર મોઅતબર હોવાથી તેણીએ તે દિવસોના રોઝાઓની રમઝાન બાદ કઝા કરવી પડશે? અને તેણીએ દસ દિવસો પછી પણ લોહી વહેવાની હાલતમાં લોહી વહેવાના અગિયારમાં, બારમાં, તેરમાં દિવસના રમઝાન મુબારકના રોઝાઓ રાખ્યા, તો તે મોઅતબર અને સહીહ ગણાશે કે નહિ?
જવાબઃ– જો આવી હાલતવાળી ઓરતે લોહી વહેવાની હાલતમાં આઠમાં, નવમાં, દસમાં દિવસે રમઝાનના રોઝાઓ રાખ્યા તો તે સહીહ અને મોઅતબર ગણાશે અને તેણીએ મઝકૂર દિવસોના રોઝાઓની કઝા નહિ કરવી પડે, કારણ કે મઝકૂર દિવસોમાં તે ઓરતને વહેનાર લોહી બીમારીનું લોહી હતું, માટે તેણે હૈઝથી પાક હોવાના દિવસોમાં રોઝહ રાખ્યા હતા. એટલે તે રોઝાઓ મોઅતબર ગણાશે અને એવી જ રીતે અગિયારમાં, બારમાં અને તેરમાં દિવસોના રોઝાઓ પણ મોઅતબર અને સહીહ ગણાશે, કારણ કે મઝકૂર રોઝાઓ પણ તેણીએ હૈઝથી પાકીની હાલતમાં રાખ્યા છે. (કિતાબુલ અસલ ભા.ર/ર૧પ)
Log in or Register to save this content for later.