Chapter : રોઝહ
(Page : 407)
સવાલ :– મુસાફિર માણસ ટ્રેન યા કોઈ સાધનમાં મુસાફરી કરે તો રોઝો રાખે અથવા છોડી દે, રોઝો નફલ હોય, વાજિબ હોય કે ફર્ઝ હોય, મુસાફરી દરમ્યાન રાખવા ચાહે તો રાખી શકે છે કે ગુનેહગાર થાય ?
જવાબ :– જો રોઝો રાખવાથી પોતાને અથવા પોતાના સાથીઓને કોઈ પ્રકારની તકલીફ થવાનો ભય ન હોય તો રમઝાનમાં ફર્ઝ રોઝો રાખવો તો અફઝલ છે અને રમઝાન સિવાયના દિવસોમાં કોઈપણ પ્રકારનો રોઝો રાખવો જાઈઝ છે. (શામી ભા. ૧૧૭/ર)
Log in or Register to save this content for later.