[૧૪૮] સફરે શરઈમાં કસર નમાઝ

Chapter : નમાઝ

(Page : 197)

સવાલ :– હું કર્ણાટક શિમોગાથી જયારે જયારે માદરે વતન જાઉં છું, અથવા વતનથી શિમોગા આવું છું ત્યારે રસ્તામાં ટ્રેનમાં મારે નમાઝ કસર પઢવી કે પૂરી પઢવી? રસ્તામાં મુંબઈ મારા રિશ્તેદારને ત્યાં સાત–આઠ દિવસ રોકાઉં છું, ત્યાં કસર પઢવી કે પુરી પઢવી? કસર પઢી લીધી હોય તો શું કરવું ?

જવાબઃ– પૂછેલી સૂરતમાં તમારો સફર દૂરના અંતરનો છે એટલે તમારે ટ્રેનમાં અને સાત–આઠ દિવસ સુધી મુંબઈના રોકણ દરમિયાન કસર નમાઝ પઢવી પડશે. અલબત્ત, જો મુકીમ અને સ્થાનિક ઈમામ સાથે  નમાઝ પઢો તો પૂરી પઢવી પડશે.           (શામી –૧)

Log in or Register to save this content for later.