Chapter : રોઝહ
(Page : 404)
સવાલ :– મેં નઝર તરીકે અમૂક રોઝા માન્યા હતા, તેમાંથી થોડા રાખ્યા અને બીજા બાકી છે તથા રમઝાન માસના પણ થોડા રહી જવા પામેલ છે. જેનો કુલ સરવાળો ૯ થાય છે. હું આ રોઝાનો ફિદયો આપવા માંગું છું તો એ માટે મારે શું કરવું જોઈએ ?
જવાબ :– જયાં સુધી તમો રોઝા રાખવાની શકિત ધરાવતા હોય ત્યાં સુધી તમારે નઝર તથા રમઝાનની કઝાના રોઝા જ રાખવા ઝરૂરી છે. રોઝા રાખવાની શકિત હોવા છતાં ફિદયો આપવો જાઈઝ નથી, અને એવી હાલતમાં ફિદયો આપવાથી ન તો કઝા અદા થશે ન મન્નત અદા થશે.
હા, જો તમારામાં રોઝા રાખવાની શકિત નથી, ઉંમરના વધુ હોવાના કારણે અથવા કોઈ બીમારીના કારણે અને ભવિષ્યમાં શકિત મળવાની આશા પણ નથી તો ફિદયો આપી શકાય છે અને ફિદયા માટે એક રોઝા દીઠ એક કિલો છસો ચાળીસ ગ્રામ ઘઉં અથવા તેની બજાર કિંમત મુજબ થતી રોકડ રકમ ગરીબ મુસલમાનને આપવાની હોય છે.
(શામી–ર/૧૧૯, જ.ફિકહ–ર/૪ર૭)
Log in or Register to save this content for later.