Chapter : રોઝહ
(Page : 402-403)
સવાલ :– મે ઘણા વરસોથી રોઝા રાખ્યા નથી. દમની બીમારીના કારણે દવાઓ રાત–દિવસ ચાલુ રહે છે. તો મારે કફ્ફારો કેવી રીતે આપવો? હાલ એ છે કે રોઝાની કઝા પણ કરી શકતો નથી. (મુસા બીરામ, સા. આફ્રિકા)
જવાબ :– જે બીમારીમાં રોઝહ રાખવાથી બીમારી વધી જવાનો અથવા લંબાઈ જવાનો ભય હોય, તેવી બીમારીના લઈ રમઝાન શરીફના રોઝહ છોડી શકાય છે, પણ એ છુટેલા રોઝાનો ફિદયો ન આપી શકાય, બલ્કે બીમાર માટે હુકમ છે કે તંદુરસ્તીના દિવસોની રાહ જુએ. જયારે કે તંદુરસ્તી પ્રાપ્ત થાય તો છુટેલા રોઝાઓની કઝા કરી લેવી ઝરૂરી છે.
હા, ઘરડા વૃધ્ધ હોવાને લઈને એટલી કમઝોરી વધી ગઈ હોય કે રોઝા રાખવાની તાકાત ના હોય અને દિવસે દિવસે ઘરડાપણથી કમઝોરી વધતી જ જતી હોય તો એવા માણસ પર ફિદયો આપવો ઝરૂરી છે.
(દુર્રે મુખ્તાર – ર/૧૧૬,૧૧૯) (તહતાવી – ૩૭૩,૩૭પ)
આવા ઘરડા માણસ પર એક રોઝહ દીઠ એક કિલો છસો ચાળીસ ગ્રામ ઘઉં અથવા એની કિંમત આપવી ઝરૂરી છેુ. (દુર્રે મુખ્તાર –ર /૧૧૭)
Log in or Register to save this content for later.