[૧૪૭] સફરમાં કઝા થવાના કારણે એકલા નમાઝ પઢવી

Chapter : નમાઝ

(Page : 196-197)

સવાલ :– અમારા ગામની મસ્જિદમાં નમાઝના સમયપત્રક મુજબ સુબ્હે સાદિકનો સમય ૬–૦૦ વાગ્યાનો છે. ૬–૩૦ અઝાન થાય છે અને ૭–૦૦ વાગે જમાઅત થાય છે. હું અભ્યાસ માટે અમારા ગામથી ૩૧ કિ. મી. દૂર જાઉં છું. બસનો ટાઈમ ૬–૩૦ છે અને અભ્યાસના સ્થળે પહોંચતાં ૭–૪૦ થઈ જાય છે. આ બન્ને મુશ્કેલીઓને કારણે મસ્જિદમાં જમાઅત સાથે નમાઝ પઢી શકતો નથી અને નમાઝ કઝા થઈ જાય છે તો હું અઝાન પછી ૬–૩૦ ના ગાળામાં એકલો નમાઝ પઢી શકું ? સુબ્હે સાદિક અને અઝાનના સમય દરમ્યાન એકલા નમાઝ પઢવા વિશે ખુલાસો કરવો.

જવાબ :– આવા સંજોગોમાં સુબ્હે સાદિક થઈ ગયા પછી ઘર પર એકલા ફજરની નમાઝ પઢી શકાય છે અને પઢી લેવી જોઈએ. કઝા ન થવા દેવી જોઈએ.        (શામી–૧)

Log in or Register to save this content for later.