Chapter : રોઝહ
(Page : 391)
સવાલ :– રોઝહની હાલતમાં હસ્તખલન કરતાં વીર્ય નીકળે તો રોઝો તૂટશે કે નહિ ?
જવાબ :– રોઝહ વગર પણ વિના મજબૂરીએ હસ્તદોષ કરવો મકરૂહે તહરીમી અને નાજાઈઝ છે. હદીસ શરીફમાં હાથથી વીર્યપાત કરવા ઉપર સખત વઈદ આવેલ છે અને રોઝાની હાલતમાં હસ્તદોષ કરવો વિશેષ રીતે નાજાઈઝ છે તેમજ હાથ ક્રિયા વડે પણ વીર્યપાત થવાથી રોઝો તૂટી જાય છે અને કઝા વાજિબ થાય છે, અને રોઝો તૂટયા પછી પણ બાકી દિવસ રોઝાદારની જેમ વીતાવવો ઝરૂરી છે. (શામી–ર/૧૦૦)
Log in or Register to save this content for later.