Chapter : રોઝહ
(Page : 389-390)
સવાલ : – રમઝાન શરીફમાં મીયાં – બીવીથી રોઝો તુટી ગયો તો મીયાં – બીવી બન્નેએ અલગ અલગ કફ્ફારહ અદા કરવો પડશે કે એક જ કફ્ફારો બન્ને માટે કાફી છે ? અને ૬૦ ગરીબોને ખવડાવવાની અંદાજિત રકમ રૂપિયામાં લખી જણાવશો અને શું તે રોઝાની કઝા પણ કરવી પડશે ?
જવાબ :– શોહર અને બીવી બન્નેવે અલગ અલગ કફ્ફારો આપવો પડશે. બન્નેવ તરફથી એક કફ્ફારો આપવો પૂરતો નથી અને કફ્ફારા સાથે તૂટેલા રોઝાની કઝા કરવી પણ ઝરૂરી છે.
જો સતત બે મહિનાના રોઝાઓ રાખવાની શકિત હોય તો રોઝાઓ રાખી કફ્ફારો અદા કરવો ઝરૂરી છે. રોઝાઓ રાખવાની શકિત હોવા છતાં ગરીબોને રકમ આપવાથી કફ્ફારો અદા નહી થાય અને જો કોઈ નિરાશાજનક બીમારીના કારણે અથવા વૃધ્ધાવયના કારણે લગાતર બે મહિનાના રોઝા રાખી કફ્ફારો અદા કરવાની શકિત ન હોય તો સાઈંઠ ગરીબોને રોકડ રકમ આપી કફ્ફારો અદા કરી શકાય છે, અને રોકડ રકમનું પ્રમાણ પાંચ મણ દસ શેર ઘઉંની કિમતથી નક્કી કરવામાં આવશેે. માટે કફ્ફારો અદા કરતી વખતે મધ્યમ કક્ષાના ઘઉંનો જે ભાવ ચાલતો હોય તે ભાવ મુજબ પાંચ મણ દસ શેર ઘઉંની જે કિમત થતી હોય તે રકમ સાઈંઠ મુસ્લિમ ગરીબોને સરખા ભાગે વહેંચી આપવામાં આ
(શામી–ર/૧૦૯, જ. ફિકહ ભા.૧)
Log in or Register to save this content for later.