[૩ર૩] રોઝાની હાલતમાં પંપથી દવા લેવી

Chapter : રોઝહ

(Page : 388-389)

સવાલ :– દમની બીમારીવાળો માણસ સવારમાં ઉઠીને પંપ દ્વારા પોતાના મોઢામાં દવા લે છે. અગર દવા ન લેવામાં તો મઝકૂર બીમારીના લઈ અસહય તકલીફ થઈ જાય છે. તો શું રોઝાની હાલતમાં દવા લેવામાં આવે તો રોઝો બાકી રહેશે કે તૂટી જશે. અગર તૂટી જતો હોય તો આવા માણસે રમઝાન શરીફમાં શું કરવું જોઈએ ? ખાવા, ચા, કોફી, વગેરેથી સંપુર્ણ પરહેઝ કરે છે, પરંતુ પંપથી માત્ર સવારમાં એક વાર દવા લે છે.

જવાબ :–  જો પંપ દ્વારા મોઢામાં લીધેલી દવા ગળામાં ઉતરે છે તો રોઝો તૂટી જશે. જો  સુબ્હે સાદિકથી પહેલાં પહેલાં લઈ લેવાથી ઝરૂરત પૂરી થઈ જતી હોય તો તે સમયે લઈ લેવામાં આવે અને સુબ્હે સાદિક પછી રોઝાની હાલતમાં ન લેવામાં આવે. અગર રોઝાની હાલતમાં લેવી ઝરૂરી હોય અને ન લેવાથી તબિયત વધારે ખરાબ થવાનો ખરેખર ભય હોય તો હાલ રોઝો ન રાખવાની અને બીજા દિવસોમાં કઝા કરી લેવાની ઈજાઝત છે અને જો મઝકૂર બીમારીથી શિફાયાબ થવાની આશા ન હોય તો રોઝાનો ફિદયો પણ આપી શકાય છે. (દુર્રે મુખ્તાર શામીઃ ર/૧૦૧–૧૧૬)

Log in or Register to save this content for later.