Chapter : રોઝહ
(Page : 387)
સવાલ :– રોઝાની હાલતમાં થૂંક કરતાં ઓછુ લોહી ગળામાં ઉતરી જાય તો રોઝો તૂટશે કે નહિ ?
જવાબઃ– જો લોહી થૂંક સાથે ગળામાં ઉતરે અને ગળામાં લોહીનો સ્વાદ માલૂમ પડે તો રોઝો તૂટી જશે, ચાહે લોહી થૂૂંક કરતાં વધારે હોય કે થોડું હોય અને જો લોહીનો સ્વાદ માલૂમ ન પડે અને ગળામાં ઉતરી જાય તો જોવામાં આવશે કે લોહી થૂંકના બરાબર છે કે વધારે છે. જો બરાબર અથવા વધારે હોય તો રોઝો તૂટી જશે અને જો લોહી થોડું હોય તો રોઝો નહિ તૂટે અને લોહીના થૂંકથી વધારે કે બરાબર પ્રમાણમાં હોવાની નિશાની આ છે કે થૂંકનો રંગ લાલ થઈ ગયો હોય અને તેનાથી થોડા પ્રમાણમાં લોહીની નિશાની આ છે કે થૂંક પીળા રંગનુ હોય. (દુ.મુખ્તાર, શામી–ર/ ૯૮, ૧/૯૪)
Log in or Register to save this content for later.