[૩૧૧] કફ્‌ફારો વાજિબ થવાના કારણો

Chapter : રોઝહ

(Page : 379)

સવાલ :– મુસલમાન ગુનાહો કરે છે તો તેને કફ્‌ફારો ભરવો પડશે અને કફ્‌ફારામાં કેટલી રકમ આપવી પડશે ? મારા વાંચવામાં આવ્યું છે કે ઘણી બધી બીમારીઓ ગુનાહનો કફફારો હોય છે?

જવાબઃ– શરીઅતમાં અમૂક કામો કરવાથી કફ્‌ફારો વાજિબ થાય છે.

(૧) રમઝાન મુબારકમાં વિના કારણે ઈરાદા પૂર્વક રોઝો તોડી નાંખવામાં આવે. (ર) પોતાની ઓરતથી ઝિહાર કરવાથી, (૩) કસમ તોડવાથી, (૪) હજ્જ અને ઉમરહની હાલતમાં મનાઈવાળા કામોમાંથી કોઈ કામ કરવાથી, (પ) ખતા ચૂકથી કોઈનું ખૂન કરવાથી.

                દરેક ગુનાહોનો કફ્‌ફારો એક સરખો નથી, અલગ અલગ છે, માટે ઝરૂરત પડેથી માહિતી પ્રાપ્ત કરવામાં આવે.

                મુસલમાન માટે બીમારીનો કફ્‌ફારો હોવાનો મતલબ એ છે કે તેના કારણે ગુનાહો માફ થાય છે અથવા તેના બદલામાં ગુનાહો માફ કરવામાં આવે છે.               (અલ ફિક્‌હુલ મુયસ્સર – ર૧૩)

Log in or Register to save this content for later.