[૩૧૦] મસ્જિદના ધાબા ઉપર ઈફતાર

Chapter : રોઝહ

(Page : 377-378)

સવાલ :– હમારી ગાર્ડન મસ્જિદ ચાર પાંચ માળની છે. નીચેના માળમાં પેશાબખાનું અને વુઝૂખાનું છે. બીજા માળે જમાઅતખાનું. મસ્જિદ બાંધતી વખતે બીજા માળના જમાઅતખાનાની નિય્યત કરેલી હતી, પરંતુ મુસલ્લીઓના ટ્રાફિકના લઈને ઉપર બે ત્રણ માળ વધારેલા કારણ કે આજુબાજુ રસ્તાઓ છે. એટલે મસ્જિદ લાંબી થાય એમ ન હતી. જેને લઈ ઉપર માળ વધાર્યા છે તો ઉપરના માળોમાં જમાઅતખાનું ગણાશે અને જમાઅત અદા થઈ જશે અને ઉપરના માળોમાં તેમજ જમાઅતખાનામાં રોઝો ઈફતાર કરે તો કોઈ જાતનો વાંધો આવશે ઈફતારી સહીહ થશે ?

જવાબ :– મસ્જિદની પ્રથમ તામીર વખતે મસ્જિદના જમાઅતખાના ના ધાબા વિશે મસ્જિદથી ખારિજ (બહાર) હોવાની નિય્યત કરી નથી એટલે જમાઅતખાનાની ઉપર વધારેલા માળ મસ્જિદ જ ગણાશે અને ગેર મુઅતકિફ માટે જમાઅતખાનામાં અને ઉપરના માળમાં રોઝો ઈફતાર કરવો મકરૂહ ગણાશે. એઅ્‌તિકાફની નિય્યતવાળો માણસ ઈફતાર કરી શકે છે.      (શામી–૧/ ૪૪૪)

Log in or Register to save this content for later.