[૩૦૪] સુબ્હ સાદિકની શંકા સાથે સહરી

Chapter : રોઝહ

(Page : 371)

સવાલઃ– અમારે ત્યાં વરસાદ પાણી તેમજ લાઈટ ન હોવાના કારણે સહરીનો આખરી ટાઈમ ૪–ર૦ છે, તો તેના બદલે રોઝો ૪–૪૪ થી ૪/૪પ વાગે બંધ કરીએ તો અમારો રોઝો થશે ? કે પછી કઝા કરવી પડશે ? અમારે ત્યાં છઠઠો પારો ચાલે છે, સહરીનો ગુજરાતનો આખરી ટાઈમ ૪–ર૧ અને ઈફતાર ૭–૩ર ઉપર થાય છે. અમદાવાદના ટાઈમ ટેબલ મુજબ ચાલે છે.

જવાબઃ– જયારે તમે એમ સમજીને રોઝો બંધ કર્યો છે કે રાત હજુ સુધી મવજૂદ છે અને સહરીનો વખત હજુ સુધી બાકી છે તો હવે જયાં સુધી તહકીક કર્યાથી એ વાતની ખબર ન પડે કે સહરી ખાતી વખતે સુબ્હ થઈ ચુકી હતી ત્યાં સુધી તમારા ઉપર રોઝાની કઝા નથી. હા, જો એમ ખબર પડી જાય કે ખાતી વખતે સુબ્હ થઈ ચુકી હતી તો ફકત કઝા કરવી પડશે.

او تسحرـــ یظن الیوم لیلا و الحال ان الفجر طالع ــــ قضی فقط (در مختار :۲؍۱۰۴)    ولو لم یتبین الحال لم یقض فی ظاھر الروایۃ (شامی :۲؍۱۰۴) علی الشامی

                એ વાત પણ ખાસ ધ્યાનમાં રાખવી ઝરૂરી છે કે અમદાવાદ – ખાપરના સહરી – ઈફતારીના ટાઈમમાં ફરક છે, તો તમારે ત્યાં વખત થોડો મોડો થશે. એવી જ રીતે અહીંના દારૂલ ઉલૂમના ટાઈમ ટેબલથી પણ મોડો રહેશે.

Log in or Register to save this content for later.